Some Populer Post

  • Home  
  • સાબરકાંઠા : હિંમતનગરના રાયગઢમાં સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવ ખાતે શિવરાત્રી ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
- ગુજરાત - ધર્મ / જ્યોતિષ

સાબરકાંઠા : હિંમતનગરના રાયગઢમાં સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવ ખાતે શિવરાત્રી ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

[…]

My movie 341 2

શિવરાત્રી ના તહેવારને લઈ અનેક શિવ મંદિરમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે વૈજનાથ મહાદેવ ના મંદિર પ્રાંગણમાં ૨૫ ફુટ ઉંચી મહાકાલ અને અનોખી ગુફાનુ નિર્માણ કરાયુ છે તો સાથે સાથે દશાવતાર અને દેવી દેવતાની પ્રતિમા પણ મુકવામાં આવી છે.

હિંમતનગર ના રાયગઢ ગામે પ્રતાપ સાગર ની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવ ના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેક વિધ શિવલિંગ નુ નિર્માણ કરવામાં આવતુ હોય છે ત્યારે આ મહાશિવરાત્રીએ ૨૫ ફુટ ઉંચી મહાકાલની પ્રતિમાનુ ગામના યુવાનો અને કારીઘરો દ્રારા તૈયાર કરવામાં આવ્યુ છે જે શિવરાત્રીની વહેલી સવાર થી જ દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ અને અહિ ભગવાન વિષ્ણુના દશાવતાર સાથે વિવિધ દેવી દેવતા અને વિવિધ શિવ સ્વરૂપ પણ ચણાના લોટમાંથી બનાવવામાં આવ્યા છે… તો ગુફા બનાવવા માટે ૨૩ હજાર કિલો પીઓપી, ૨૫ થી ૩૦ મીટર કન્તાન અને બાંબુ વાંસ સહિત વિવિધ કલર અને માટીનો ઉપયોગ કરી આબેહુબ ગુફા નુ પણ નિર્માણ કરાયું છે અને આ ગુફામાં વિવિધ દેવી દેવતાના દર્શન ભક્તોને થઈ રહ્યા છે… દર વર્ષની જે આ વખતે પણ એક અનોખી રીતે વૈજનાથ યુવક મંડળ દ્રારા આયોજન કરવામાં આવ્યુ છે કુદરતી ગુફા જેવુ જ વાતાવરણ મંદિર ના પ્રાંગણમાં ઉભુ કર્યુ છે જેને લઈને ભક્તોને અનોખો લાભ મળી શક્યો છે..

દર શિવરાત્રી નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બાબા બર્ફાની અને અમરનાથ તો આ વખતે મહાકાલની પ્રતિમા અને સાથે અનોખી ગુફા બનાવાઈ છે… છેલ્લા બે માસ થી આ ગુફા અને મહાકાલની પ્રતિમા બનાવવામાં આવી રહી હતી તો સાથે ચણાના લોટ થી વિવિધ ભગવાનના સ્વરૂપ પણ બનાવવામાં આવ્યા છે… ખાસ કરીને ભક્તો ને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્રારા આયોજન કરવામાં આવ્યુ છે સાથે રાત્રી દરમિયાન મહા આરતી અને મહાકાલની પ્રતિમા પર લાઈટ શો પણ કરવામાં આવશે સાથે ભક્તો માટે ફલાહાર નુ આયોજન પણ યુવાનો દ્રારા કરવામાં આવ્યુ છે…

આમ તો વૈજનાથ મહાદેવ ના મંદિરે માત્ર શિવરાત્રિ જ નહિ પરંતુ વર્ષના ૩૬૫ દિવસ ભક્તોનો ઘસારો રહેતો હોય છે પરંતુ આ વખતે અલગ જ પ્રકારના ૨૫ ફુટ ના મહાકાલ, દેવી દેવતા અને શિવના અનેક સ્વરૂપોના દર્શન કરવાનો પણ લ્હાવો મળ્યો છે જેથી ભક્તો ને એક જ જગ્યાએ અનેક દેવી દેવતા ના દર્શન પણ થઈ રહ્યા છે..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page