ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારાના નિધનને લઇને રાજ્ય સરકારે શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે, ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અનિલ જોષિયારાના નિધનને લઇને તેઓ દુ:ખની લાગણી અનુભવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી લખ્યું કે, ભિલોડાના ધારાસભ્ય શ્રી ડો.અનિલભાઈ જોષીયારાના અકાળે નિઃધનથી દુઃખની લાગણી અનુભવું છું.તેઓશ્રીનું એક જાગૃત જનપ્રતિનિધિ તરીકે આપેલું યોગદાન સદાકાળ અવિસ્મરણીય રહેશે.પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.
Advertisement