31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

શિક્ષણમાં હવે ‘ભગવત ગીતા’ વિષય : ધોરણ 6 થી 12માં ‘શ્રીમદ ભગવત ગીતા’ નો વિષય ઉમેરાશે


રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં શ્રીમદ ભગવત ગીતાના સિદ્ધાંતો અને તેની અમલવારીને સ્વીકારવામાં આવી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતાનું જ્ઞાન પીરસતું થસે. આ માટ રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ જાણકારી આપતા જણાવ્યું કે, શિક્ષણની સાથે ગુતાના ગુણ, મુલ્યો અને સિદ્ધાંતોનું સિંચન થાય તે હેતુથી ભગવત ગીતાનો વિષય શાળાઓમાં અમલી થનાર છે.

ધોરણ 6 થી 12 માં હવે ‘ધાર્મિક શિક્ષણ’

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, બાળકોમાં ભગવત ગીતાના ગુણો, મુલ્યો, સિદ્ધાંતોનું સિંચન થાય અને  સૌ લોકો ગીતાના જ્ઞાનનો પ્રચાર – પ્રસાર અને સમાજ જીવન માટે ઉપગોયી થશે.  તમણે ઉમેર્યું કે, વર્ષ 2022-23 માં ધોરણ 6 થી 12 માં શ્રીમદ ભાગવદ ગીતાનો અભ્યાસ કરાવાશે, બાળકોને સરળ ભાષામાં વિસ્તૃત માહિતી સાથે રસપ્રદ વિષય બનાવીને ભગવત ગીતા વિષયનો સમાવિષ્ટ કરાશે. આ સાથે જ ધોરણ 6 થી 12 માં  શ્રીમદ ભાગવત ગીતાના સમાવિષ્ઠ મૂલ્યો તેમજ સિદ્ધાંતો ની બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવાશે.

ધોરણ 6 થી 8 માં ભગવત ગીતા વિષયમાં સમાવિષ્ટ મુદ્દા

ધોરણ 6 થી 8 માં શ્રીમદ ભગવત ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ, પાઠ્ય પુસ્તકમાં વાર્તા, પઠન, અને પાઠક સ્વરૂપે રજૂ કરાશે તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું

ધોરણ 9 થી 12માં ભગવત ગીતા વિષયમાં સમાવિષ્ટ મુદ્દા

ધોરણ 9 થી 12 માં શ્રીમદ ભાગવત ગીતાનો પરિચાય, પ્રથમ ભાષાના પાઠ્ય પુસ્તકોમાં વાર્તા અને પઠન, પાઠક વિગેરે સ્વરૂપે આપવામાં આવશે.

આ સાથે જ શાળાઓમાં શ્રીમદ ભગવત ગીતા આધારિત, શ્લોક, ગાન, પઠન, વાર્તા, પ્રાર્થના, નિબંધ, નાટ્યા, ચિત્ર, ક્વિઝ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવશે. આગામી સત્રથી શ્રીમદ ભગવત ગીતા વિષયને સમાવિષ્ટ થનાર છે, ત્યારે 6 થી 12 ની સામગ્રી શાળાઓને આપવામાં આવશે.

શું કહ્યું રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સાંભળો…


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!