33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પ્રાંતિજ: નનાનપુર ગામમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવી,લોકોમાં કુતુહલ સર્જાયું

પ્રાંતિજ: નનાનપુર ગામમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવી,લોકોમાં કુતુહલ સર્જાયું

0
158

 

જમીનમાં કેમિકલ ઉતાર્યું હોવાના કારણે ધુમાડો નીકળવાનુ પ્રાથમિક અનુમાન

મળતી વિગત મુજબ પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં સાંજના 5:00 વાગ્યા ના સુમારે અલગ અલગ જગ્યાએ થી જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવી હતી.ત્યારે સમગ્ર મામલે પ્રાંતિજ પાલિકાને જાણ કરાવી હતી અને પ્રાંતિજ પાલિકા દ્વારા ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે મોકલી આપવામાં આવી હતી ત્યારે ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણી છંટકાવ કરી ધુમાડાને ઓલવવા માટે પ્રયાસ કર્યો હતો. અચાનક જ આમ જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવતા લોકોને આશ્રય લાગ્યો હતો ત્યારે આ કુતુહલ જોવા માટે નનાનપુર ગામ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.જમીનમાં કેમિકલ ઉતાર્યુ હોવાને કારણે ધુમાડો નીકળતો હોવાનું પ્રાથમિક અનુમાન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!