31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલના જીવને ખતરો? ઓમર અબ્દુલ્લાએ ‘Z પ્લસ’ સુરક્ષા પાછી ખેંચવા પર કર્યું આવું ટ્વીટ


જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્ય પાલ મલિકના દાવા પર પ્રતિક્રિયા આપતા કે તેમની સુરક્ષા ડાઉનગ્રેડ કરવામાં આવી છે, નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “જેવું કરશો, તેવું ભોગવશો.” જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અબ્દુલ્લાએ મલિક પર તેમના અને તેમના પક્ષના સાથીદારો સહિત ઘણા નેતાઓની સુરક્ષા સાથે “રમત” કરવાનો આરોપ લગાવ્યો.

અબ્દુલ્લા દેખીતી રીતે 5 ઓગસ્ટ, 2019 પછીના ઘટનાક્રમનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યારે જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું અને ઘણા નેતાઓને મહિનાઓ સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. મલિક તે સમયે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા. અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું હતું કે, “જેવું કરશો, તેવું ભોગવશો. તેમણે મારા અને મારા વરિષ્ઠ સાથીદારો સહિત ઘણા લોકોની સુરક્ષા સાથે રમત કરી હતી.”

સરકાર દ્વારા Z પ્લસ સુરક્ષા પાછી લેવામાં આવી 
તમને જણાવી દઈએ કે સરકારે સત્યપાલ મલિકની ઝેડ પ્લસ સુરક્ષા પાછી ખેંચી લીધી છે. આ પછી મલિકે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે જો તેમને કંઈ થશે તો તેના માટે કેન્દ્ર સરકાર જવાબદાર રહેશે. સત્યપાલ મલિકે જણાવ્યું કે તેમને પોલીસ હેડક્વાર્ટરમાંથી માહિતી મળી છે કે તેમને હવે Z+ કેટેગરીમાં ચુનંદા કમાન્ડોની સુરક્ષા નહીં મળે.

સત્યપાલ મલિકના જીવને ખતરો?
સત્યપાલ મલિકનો જીવ જોખમમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના આતંકવાદી જૂથોના આતંકીઓ કાશ્મીર ઘાટીમાં હાજર છે, ભૂતપૂર્વ ગવર્નર મલિક તેમના શાર્પ શૂટર્સના નિશાના પર છે. મલિકના કાર્યકાળ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ આતંકવાદીઓના નિશાના પર છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!