રાહુલ ગાંધીના વકીલે બચાવમાં દલીલ કરી હતી કે મોદી સરનેમ પર રાહુલ ગાંધીની ટિપ્પણી પર ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ કરવી જોઈએ.
મોદી સરનેમ બદનક્ષી કેસમાં સુરત કોર્ટ 23મીએ ચુકાદો આપશે ત્યારે રાહુલ ગાંધી હાજર રહેશે. રાહુલ ગાંધી જુલાઈ 2020માં આ કોર્ટમાં હાજર થયા હતા. ત્યારે ફરી માનહાનીના કેસમાં હાજર રહેશે. છેલ્લી સુનાવણીમાં, રાહુલ ગાંધીના વકીલે બચાવમાં દલીલ કરી હતી કે મોદી સરનેમ પર રાહુલ ગાંધીની ટિપ્પણી પર ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ કરવી જોઈએ. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષના વકીલે દલીલ કરી હતી કે 2019ની સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીના ભાષણમાં લાગેલા મોટા ભાગના આરોપો વડાપ્રધાન મોદી પર લગાવવામાં આવ્યા હતા. તેમ રજૂઆત કરી હતી.
ગુજરાતની સુરત કોર્ટે મોદી અટક બદનક્ષી કેસમાં 23 માર્ચે પોતાનો ચુકાદો સંભળાવશે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેશે. કોર્ટમાં હાજર થવા માટે રાહુલ ગાંધી દિલ્હીથી સીધા સુરત પહોંચશે. 2019ના આ મામલે સુરતની કોર્ટ 23 માર્ચે જ પોતાનો ચુકાદો આપે તેવી આશા છે. આ બીજી વખત હશે જ્યારે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થશે અને ચુકાદાની જાહેરાત સમયે હાજર રહેશે.
લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક સભામાં મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. અગાઉ આ મામલામાં રાહુલ ગાંધી એક વખત સુરત કોર્ટમાં હાજર થયા છે. ચુકાદાની જાહેરાત દરમિયાન રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેશે. સુરત પહોંચતા જ કોંગ્રેસના નેતાઓ તેનું સ્વાગત એરપોર્ટથી કોર્ટ સુધી કરશે.