31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

હવે સાવરકર પર ટિપ્પણી નહીં કરે રાહુલ ગાંધી, શરદ પવારે શિવસેના અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ ઉકેલ્યો


પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હંમેશા પોતાના નિવેદનોને કારણે વિવાદોથી ઘેરાયેલા રહે છે. હાલમાં જ તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં વીર વિનાયક દામોદર સાવરકર પર ટિપ્પણી કરી હતી, જેના પછી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. તેની અસર એટલી દેખાઈ કે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ પાર્ટીની બેઠકમાં હાજરી આપી ન હતી. ત્યારે આ તકનો લાભ ઉઠાવીને ભાજપ ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસ પર આક્રમક બની છે. જો કે, સમયને સમજીને શરદ પવારે એન્ટ્રી લઈને મામલો થાળે પાડ્યો છે.

શરદ પવારે મામલો ઉકેલ્યો
એનસીપી પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે બેઠક યોજી હતી. આ બેઠક મુખ્યત્વે કોંગ્રેસ અને શિવસેના પક્ષ વચ્ચેની તિરાડને ખતમ કરવા માટે હતી. બંને નેતાઓની મુલાકાત બાદ રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ પરથી સાવરકર સંબંધિત તમામ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી છે. તે જ સમયે, બેઠકમાં એ વાત સામે આવી હતી કે રાહુલે સીધું ટ્વીટ નથી કર્યું, પરંતુ પાર્ટીના સમર્થકોની ટ્વીટને રીટ્વીટ કરવામાં આવી હતી. હવે રાહુલ ગાંધીના હેન્ડલ પર સાવરકર સંબંધિત કોઈ ટ્વીટ નથી.

રાહુલ અને સોનિયાએ ખાતરી આપી
આ બેઠક બાદ સંસદ પરિસરમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને શિવસેના સાંસદ રાઉતની સૌહાર્દપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન સંજય રાઉતને ખાતરી આપવામાં આવી હતી કે હવે સાવકર વિશે કોઈ વાંધાજનક ટિપ્પણી કરવામાં આવશે નહીં. બીજી તરફ પવારે કહ્યું કે કોંગ્રેસે તેને પોતાની વિચારધારા સુધી સીમિત રાખવું જોઈએ. ત્રણેય પક્ષો માત્ર વૈચારિક મતભેદોને કારણે અલગ છે, નહીંતર એક જ પક્ષ હોત.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!