ગત તારીખ 06/04/2023ના રોજ મુલોજ પ્રાથમિક શાળામાં ધોરણ -8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમા એસ. એમ.સી.ના સભ્યો ગામના વડીલો શાળાના આચાર્યશ્રી ભરતભાઈ વાળંદ તથા સ્ટાફ પરિવાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના શિક્ષકશ્રી વિશાલભાઈ પટેલ, વિપુલકુમાર પ્રજાપતિ અને રૂપલબેન રાઠોડએ વિદ્યાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. જયારે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો આપી શાળાને 1 ગણેશજીની ફોટો ફેમ અને 3 ઘડિયાળની ભેટ આપી હતી. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ભરતભાઈ ડી.વાળંદ તરફથી તિથી ભોજન આપવામાં આવ્યું હતું.