31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

સાબરકાંઠા: વિજયનગરના જાલેટી ગામ પાસે માર્ગ અકસ્માતમાં ટેમ્પો પલટી જતાં એકનું મોત, ૧૫ લોકોને ઈજાઓ


 

ભિલોડાના ભટેળા ગામેથી વિજયનગરના સરસવ ગામે લગ્નના ચાંલ્લામાં જતા બનાવ

વિજયનગર તાલુકાના જાલેટી ગામ પાસે આજે સવારે ભિલોડાના ભટેળા ગામેથી વિજયનગરના સરસવ ગામે લગ્નના ચાંલ્લામાં જઈ રહેલો ટેમ્પો એકાએક પલટી જતા એમાં મુસાફરી કરી રહેલા લોકો પૈકી ગંભીર ઈજાગ્રસ્ત એકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય ૧૫ જેટલા ઇજાગ્રસ્તોને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ૧૧ સહિત જુદા જુદા દવાખાનાઓમાં સારવાર માટે ખસેડીને બનાવ સંદર્ભે ચિઠોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભિલોડા તાલુકાના ભટેળા ગામેથી આજે સવારે દસ કલાકે એક ટેમ્પોમાં વિજયનગર તાલુકાના સરસવ ગામે લગ્નના ચાંલ્લા માટે કેટલાક લોકો જઈ રહ્યા હતા ત્યારે વિજયનગરના જાલેટી ગામ પાસે આ ટેમ્પોમાં ઓચિંતો ખરાબી ઉભી થતા ટેમ્પો પલટી ગયો હતો જેને કારણે કુલ મળી ૧૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને જુદાં જુદાં દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા જેમાં પાંચેક લોકોને ચોરીમાલા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હત જે પૈકી જીવલેણ ઇજાઓને કારણે સારવાર દરમિયાન વિક્રમભાઈ કોદરભાઈ બરંડા (ઉ.વ.55 ) ભટેળા, તા.ભિલોડા)નું મૃત્યુ નીપજ્યું હતું આ દવાખાનાના સારવાર હેઠળના અન્ય વત્તી ઈજાઓવાળા ચારને સારવાર આપી રજા અપાઈ હતી.જેથી કુલ ૧૬ ઈજાગ્રસ્ત પૈકી ભિલોડા કોટેજ હોસ્પિટલમા ૧૧ ઈજાગ્રસ્ત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા .આ ઇજાગ્રસ્તોમાં આશિષ મનહરભાઈ અસારી ,જયેશ કનુભાઈ અસારી , બચુભાઈ મંગળાજી અસારી ,સળુભાઈ રતનાભાઈ અસારી ,રતીલાલ કાવજીભાઈ બરંડા સાવિત્રી અરવિંદભાઈ અસારી સહિત ભટેળા, તા.ભિલોડાનો સમાવેશ થાય છે .આ બનાવ અંગે સ્થળ મુલાકાત લઈ પોસઇ એમ.એચ.પરાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!