29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ: શહેરા તાલુકાના ગમન બારિયાના મુવાડા ગામે આવેલા બળિયાદેવ મંદિરના મંહત દયાનંદ...

પંચમહાલ: શહેરા તાલુકાના ગમન બારિયાના મુવાડા ગામે આવેલા બળિયાદેવ મંદિરના મંહત દયાનંદ ગુરૂ મહારાજ બ્રહ્મલીન થતા સમાધિ અપાઈ

0
223

શહેરા,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુરાના ગમન બારીયા ખાતે આવેલ બળિયાદેવ બાપાના મંદિરના મંહત દયાંનદ ગુરુ મહારાજ ટુંકી માંદગી બાદ બ્રહ્મલીન થતા તેમના શિષ્યો,સમર્થકો અને પરિવારજનોમા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.તેમની અંતિમયાત્રા કાઢ્યા બાદ તેમને સમાધિ આપવામા આવી હતી.ગમન બારિયાના મુવાડા ખાતે આવેલુ બળિયાદેવનુ મંદિર લોકો માટે આસ્થા અને શ્રધ્ધાનુ કેન્દ્ર હતુ. તેમના અંતિમ વિદાય વખતે ગ્રામજનો સહિત સૌની આંખ ભીની થઈ ગઈ હતી.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગમનબારિયા ના મુવાડા ગામે બળિયા બાપજી દેવનુ જાણીતુ મંદિર આવેલુ છે. આ મંદિરમા મંહત અર્જનભાઈ રાયસીંગ ભાઈ બારિયા ઉર્ફ દયાનંદ ગુરૂ મહારાજ ટુંકી માંદગી બાદ બ્રહ્મલીન થયા છે.તેઓ પાછલા કેટલાક સમયથી બીમાર હતા.બુધવારના સવારે તેમને પ્રાણ છોડી દીધા હતા.

મોટી સંખ્યામા તેમના શિષ્યો,ગ્રામજનો, આસપાસના ભાવિકો તેમના અંતિમ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. તેમની અંતિમયાત્રા કાઢ્યા બાદ તેમને સમાધિ આપવામા આવી હતી.રામધુન અને મંત્રોચ્ચાર સાથે સમાધિ આપવામા આવી હતી. તેમના મિલનસાર અને મળતાવડા સ્વભાવને કારણે શહેરા તાલુકા સહિત ના વિસ્તારો માં તેમને સારી એવી લોકચાહના મેળવી હતી.તેમના અવસાનથી ગ્રામજનોમા પણ શોકની કાલીમા છવાઈ ગઈ હતી.

પંચમહાલ- શહેરા તાલુકાના ગમન બારિયાના મુવાડા ગામે આવેલા બળિયાદેવ મંદિરના મંહત દયાનંદ ગુરૂ મહારાજ બ્રહ્મલીન થતા સમાધિ અપાઈ

શહેરા,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુરાના ગમન બારીયા ખાતે આવેલ બળિયાદેવ બાપાના મંદિરના મંહત દયાંનદ ગુરુ મહારાજ ટુંકી માંદગી બાદ બ્રહ્મલીન થતા તેમના શિષ્યો,સમર્થકો અને પરિવારજનોમા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.તેમની અંતિમયાત્રા કાઢ્યા બાદ તેમને સમાધિ આપવામા આવી હતી.ગમન બારિયાના મુવાડા ખાતે આવેલુ બળિયાદેવનુ મંદિર લોકો માટે આસ્થા અને શ્રધ્ધાનુ કેન્દ્ર હતુ. તેમના અંતિમ વિદાય વખતે ગ્રામજનો સહિત સૌની આંખ ભીની થઈ ગઈ હતી.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગમનબારિયા ના મુવાડા ગામે બળિયા બાપજી દેવનુ જાણીતુ મંદિર આવેલુ છે. આ મંદિરમા મંહત અર્જનભાઈ રાયસીંગ ભાઈ બારિયા ઉર્ફ દયાનંદ ગુરૂ મહારાજ ટુંકી માંદગી બાદ બ્રહ્મલીન થયા છે.તેઓ પાછલા કેટલાક સમયથી બીમાર હતા.ગૂરૂવારના સવારે તેમને પ્રાણ છોડી દીધા હતા. મોટી સંખ્યામા તેમના શિષ્યો,ગ્રામજનો, આસપાસના ભાવિકો તેમના અંતિમ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. તેમની અંતિમયાત્રા કાઢ્યા બાદ તેમને સમાધિ આપવામા આવી હતી.રામધુન અને મંત્રોચ્ચાર સાથે સમાધિ આપવામા આવી હતી. તેમના મિલનસાર અને મળતાવડા સ્વભાવને કારણે શહેરા તાલુકા સહિત ના વિસ્તારો માં તેમને સારી એવી લોકચાહના મેળવી હતી.તેમના અવસાનથી ગ્રામજનોમા પણ શોકની કાલીમા છવાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!