માલપુર તાલુકાના જાલમખાંટના મુવાડા ગામે નવરાત્રી મહોત્સવ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જાલમખાંટના મુવાડા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે નવરાત્રી મહોત્સવ હાલ ખુબ જ હર્ષોલાસથી ઉજવાઈ રહ્યો છે, આઠમનાં નોરતાના ગરબામાં પૂર્વ ડી.વાય.એસ.પી.શ્રી કે.બી. ખાંટ સાહેબ, જશવંતસિહ ખાંટ , મહેશભાઈ ખાતુભાઈ ખાંટ, રમેશભાઈ રામાભાઈ ખાંટ, માતાજીના ભગતના નામથી નામના મેળવી છે એવા શ્રી પ્રતાપજી ખાંટ ( સેવક ), લાલજીભાઈ ધીરાભાઈ ખાંટ ( પુજારી ) , માજી સરપંચ શ્રી અમરાજી ખાંટ , પૂર્વ વાઈસ પ્રિનસીપાલ શ્રી અભેસિંહ એચ. ખાંટ સાહેબ, પૂર્વ અગ્ર રહસ્ય સચિવ શ્રી ગુલાબસિંહ ખાંટ સાહેબ , માજી જિલ્લા ડેલીગેટ શ્રી ધિરુભાઈ ખાંટ, રમેશભાઈ લક્ષ્મણભાઈ ખાંટ ,પૂર્વ તલાટી શ્રી ડી. એચ.ખાંટ સાહેબ, શ્રી પી. ડી. ખાંટ સાહેબ ( શિક્ષક શ્રી ) તથા ગામના તમામ બાળકો, વડીલો, બહેનો…. વિગેરેની હાજરીમાં ખુબ જ હર્ષોલાસથી માતાજીના પવિત્ર નોરતાની ઉજવણી થયી રહી છે , ત્યારે આ મહોત્સવમાં ગામના નવ યુવાન સરપંચ શ્રી ખુમાનસિહ ખાંટ પણ સતત સાથે રહી સૌની સાથે હળીમળી, ગામના તમામ રહીશોના સાથ સહકારથી ખુબ જ ઉત્સાહભેર નોરતાની ઉજવણી થયી રહી છે .
