ગુજરાત ATSએ દિલ્હી, ગુજરાતમાં અરવલ્લી અને ઉત્તર પ્રદેશમાં સક્રિય થયેલા આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો પર બાજ નજર રાખી હતી. લાંબા સમયથી આ ચારેય આંતકવાદીઓ એટીએસની રડારમાં હતાં. તપાસ દરમિયાન ગુજરાતના અરવલ્લીમાંથી બે આતંકવાદીઓ ઝડપાયા છે. જ્યારે દિલ્હીના નોઈડા અને ઉત્તર પ્રદેશથી એક-એક આતંકવાદીને ઝડપી પાડવામાં આવ્યો છે.
મોડાસા થી ઝડપાયેસ ઈસમ ફર્નિચર વી એક દુકાનમાં કામ કરતો હોવાવી પણ પ્રાથમિક વિગતો સામે આવી છે. આતંકી ગતિવિધિઓ સાથે હોવાની વિગતોને આધારે ATS ની કાર્યવાહી થી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે
