26.8 C
Gujarat
Saturday, August 1, 2026
Home HeadLines અરવલ્લી: માલપુર નજીક હિટ એન્ડ રન, બે પદયાત્રીઓના મોત, એક ગંભીર

અરવલ્લી: માલપુર નજીક હિટ એન્ડ રન, બે પદયાત્રીઓના મોત, એક ગંભીર

0
104

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં જીતપુર પાસે આજે વહેલી સવારે એક દુઃખદ ઘટના બની. દાહોદથી અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રા સંઘને અજાણ્યા વાહનએ ટક્કર મારી હતી. આ હિટ એન્ડ રન ઘટનામાં બે પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે એક પદયાત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકોના નામ સુરેશ વાસના ડામોર (42) અને દિનેશ રાઠોડ સીસોદીયા (45) હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ માલપુર પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સીએચસી ખસેડ્યા છે. ઇજાગ્રસ્ત પદયાત્રીને તાત્કાલિક સારવાર અર્થે મોડાસા રેફર કરવામાં આવ્યો છે.

દાહોદથી અંબાજી સુધી પદયાત્રીઓનો સંઘ ચાલતો હતો, ત્યારે અચાનક પછાડીથી ઝડપે આવેલા અજાણ્યા વાહનએ તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભારે હતી કે બે પદયાત્રીઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો. અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો.

માલપુર પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે આસપાસના સીસીટીવી કૅમેરા તથા સ્થળ પરથી મળેલા પુરાવાના આધારે ફરાર આરોપીને ઝડપવા માટે તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. આ દુર્ઘટનાથી પદયાત્રા સંઘ તેમજ વિસ્તારમાં શોકનું મોજું ફેલાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!