હાલમાં જ વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે, જેમાં સારી કામગીરી બદલ ચૂંટણી અધિકારીઓને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ચૂંટણી અધિકારીને પણ આ સન્માન મળ્યું છે. અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતને પણ આ અવોર્ડથી સન્માનિત કરાયા છે.
25 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી, જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સારી કામગીરી કરનાર ચૂંટણી અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારીના હસ્તે અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતને કાયદો વ્યવસ્થાને લઇને અવોર્ડ પ્રાપ્ત થયો છે. ECI ઈન્ડિયાએ સામાન્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે ચાલી રહેલા રાજ્યો માટે “શ્રેષ્ઠ ચૂંટણી પ્રથા પુરસ્કાર” ની રચના કરી છે. સામાન્ય વિધાનસભા ચૂંટણી 2022 માટે જિલ્લા અરવલ્લીને ECI વતી રાજ્ય ચૂંટણી પંચ તરફથી શ્રેષ્ઠ ચૂંટણી પ્રથાનો પુરસ્કાર મળ્યો છે.