ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર વર્ગ-3ની જગ્યાઓ ભરવા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કુલ 5502 જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી છે, જેનાથી મહેસૂલ વિભાગના કામકાજને વેગ મળશે અને નાગરિકોને સરકારી સેવાઓ વધુ ઝડપથી ઉપલબ્ધ થશે.

જાણો કેવી રીતે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે
રાજ્ય સરકાર સરકાર દ્વારા કુલ 5502 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાંથી કલેક્ટર કચેરીમાં 5186 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. જ્યારે પ્રતિનિયુક્તિ ((ડેપ્યુટેશન)થી 173 જગ્યાઓ પ્રતિનિયુક્તિથી ભરવામાં આવશે.







