અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પાંચ ટર્મના ધારાસભ્ય અનિલ જોષિયારાના નિધનને લઇને સમગ્ર ગુજરાત સહિત રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ યાદ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ અનિલ જોષિયારાને યાદ કર્યા છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું કે, ડોક્ટર અનિલ જોષિયારાના અચાનક નિધનના સમાચારથી દુ:ખ છે. કોંગ્રેસ પરિવારના એક મજબૂત સભ્ય હોવાની સાથે તેઓ ગુજરાતમાં આદિવાસી સમાજના એક લોકપ્રિય નેતા પણ હતા. આ મુશ્કિલ સમયમાં તેમના પરિવારજનોને મારી સંવેદના વ્યક્ત કરૂ છું.
डॉ अनिल जोशियारा जी के असमय निधन का समाचार दुखद है। कांग्रेस परिवार के एक मज़बूत सदस्य होने के साथ ही वे गुजरात में आदिवासी समुदाय के लोकप्रिय नेता भी थे। इस मुश्किल समय में उनके परिवारजनों को मेरी शोक संवेदनाएँ।
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુ:ખ વ્યક્ત કરતું ટ્વીટ કર્યું હતું.