નસવાડી તાલુકાના ઝરખલી ગામે બાળ હનુમાન મંદિરનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા ભીલ તેમજ સમસ્ત ગામજનો ની હાજરીમાં યોજાયો. આ પ્રસંગે આદિવાસી ગાયક કલાકાર ઉર્વશી રાઠવા, ટીમલી કલાકાર મહેશ ભીલ ઉર્ફે બકો તેમજ કલાકારો દ્વારા ડાયરા નો ભવ્ય પ્રોગ્રામ રજૂ કર્યો તેમાં કલાકારો ને ભેટ માં આવેલ રૂપિયા કલાકારોએ મંદીર ના બાંધકામ માટે સ્વેચ્છા એ આપતા આદીવાસી ઓ એ જોરદાર દાનનો પ્રવાહ અવિરત વરસતા આદીવાસી ગામમાં ખુશી પ્રસરી હતી અને આશા વ્યક્ત કરી હતી બાળ હનુમાન નું મંદીર જલ્દી નિર્માણ પામશે
અલ્કેશ તડવી, રીપોટર, નસવાડી છોટાઉદેપુર