28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ Mulayam Singh Sadav Funeral: મંગળવારે નેતાજીના અંતિમ સંસ્કાર, PM મોદી લઇ શકે...

Mulayam Singh Sadav Funeral: મંગળવારે નેતાજીના અંતિમ સંસ્કાર, PM મોદી લઇ શકે છે સૈફઈની મુલાકાત

0
139

સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. 82 વર્ષીય મુલાયમની ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં 50 દિવસથી સારવાર ચાલી રહી હતી. તેમનો પાર્થિવ દેહ સૈફઈ સ્થિત તેમના પૈતૃક નિવાસસ્થાને પહોંચ્યો છે. મંગળવારે બપોરે 3 વાગ્યે સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સમાચારોનું માનીએ તો આવતીકાલે પીએમ મોદી પણ સૈફઈ પહોંચી શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં તેમના મૂળ ગામ સૈફઈમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક અને દિગ્ગજ રાજકારણી મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં હાજરી આપે તેવી શક્યતા છે. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને ત્રણ વખત પૂર્વ સંરક્ષણ મંત્રી રહેલા મુલાયમ સિંહ યાદવનું સોમવારે સવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું.

તેમના નિધનથી દેશભરમાં શોકની લહેર છે. તેમના પરિવારના સભ્યો સિવાય દેશના ઘણા મોટા નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે. તેમના અંતિમ દર્શન માટે પરિવારના સભ્યો સહિત દરેક લોકો ઉમટી રહ્યા છે. સમાજવાદી પાર્ટી દ્વારા અંતિમ દર્શનને સોશિયલ મીડિયા પર લાઈવ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સૈફઈ પહોંચ્યા અને પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન ઘણા મોટા નેતાઓ અને મંત્રીઓ પણ હાજર હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!