37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ગૌ રજયાત્રા રથનું મોડાસામાં સ્વાગત, સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ભ્રમણ

ગૌ રજયાત્રા રથનું મોડાસામાં સ્વાગત, સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ભ્રમણ

0
187

અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં પથમેડા ગૌ ધામ દ્વારા વિશ્વની સૌથી મોટી પ્રથમ સુરભી શકિતપીઠ ની સ્થાપના ભાટટોલ નાકા અમદાવાદ અને સાબરમતી ના તટે એક ભવ્યાતિભવ્ય ગૌ માતાનુ વિશ્વનુ પ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે એ મંદિર ના પાયા માં દરેક જીલ્લાના ગામડામા ઓમાથી ગાય માતા નુ પૂજન કરી અને તેની રજ અમદાવાદ ખાતે બની રહેલા ગૌ માતા ના મંદિર ના પાયા મા પધરાવી અને ત્યારબાદ ગૌ મંદિર ની સ્થાપના કરવામાં આવશે.

આગામી 26-10-2022 થી 4-11-2022 સુધી અમદાવાદ ખાતે ભવ્યાતિભવ્ય ભવય કાર્યક્રમનું આયોજન કરેલ છે તો તેના દશૅનનો લાભ લેવા અવશ્ય પધારજો આ પ્રસંગે અનુસવાદે આજ રોજ ગૌ રથ મોડાસા ના આંગણે આવેલ મિની ઉંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે મહેન્દ્રસિંહ રાજપુરોહિત તથા શંકરસિંહ રાજપુરોહિત તથા પારસ ભાઈ રાજપુરોહિત,, તથા રામકૃષ્ણ રાજપુરોહિત રામગઢી સામાજીક કાર્યકર જીવદયા પ્રેમી નિલેશ ભાઈ જોષી તથા મિની ઉંઝા ઉમિયા માતાજી મંદિર ના પ્રમુખ દિનેશભાઈ પટેલ તથા સવૅ ટ્રસ્ટી શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા અને મિની ઉંઝા ઉમિયા માતાજી મંદિર ના મંહત શ્રી વિષ્ણુ પ્રસાદ મહારાજે ગાય માતા નો મહિમા સમજાવ્યો હતો અને આ પ્રસંગે ની રૂપરેખા આપી અને આશીર્વાદ આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!