અરવલ્લી જિલ્લામાં લાંબા સમયથી સિવિલની માંગ સંતોષાયા પછી ચૂંટણી પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, ચૂંટણી આવી સિવિલ લાવી તેવી ચર્ચાઓ પણ થવા લાગી છે પણ મોડે મોડે સિવિલનું ખાતમુહૂર્ત થતાં લોકોમાં ખુશી પ્રસરી છે.અરવલ્લી જિલ્લામાં રૂ. 100.85 કરોડના ખર્ચે બનનારી નવીન સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદ હોસ્પિટલ જીલ્લાના આરોગ્ય ક્ષેત્રના વિકાસને અલગ જ સ્તર પર લઈ જશે. આ સિવિલ હોસ્પિટલથી જીલ્લાની જનતા સહિત સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર અને રાજસ્થાનના લોકોને પણ લાભ મળશે. આ હોસ્પિટલથી લોકોને ઓપીડીથી લઇને ડાયાલીસિસ વોર્ડ અને બ્લડબેંકની સુવિધા પણ લોકોને ઘર આંગણે મોડાસામાં જ મળી રહેશે.
સિવિલ હોસ્પિટલ:-
કુલ બાંધકામઃ કુલ 19597.08 ચો. મી.
ભોંયતળીયુ 7124.59 ચો.મી.
પ્રથમ માળ 6531.22 ચો.મી.
બીજો માળ 5535.00 ચો.મી
ટેરેસ 405.53 ચો.મી.
એંસીલરી વર્ક- 2209.76 ચો.મી.
નવિન ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલમાં ઉપ્લબ્ધ થનાર સુવિધાઓઃ
ગ્રાઉંન્ડ ફ્લોર – રજીસ્ટ્રેશન વિભાગ, ઓ. પી. ડી. ડીપાર્ટમેન્ટ,
એમ. સી.એચ. ડીપાર્ટમેન્ટ, ટ્રોમા સેન્ટર અને ઈમેજીંગ અને ડાયાગ્નોસ્ટીક, સી.એસ.એસ.ડી.
પ્રથમ ફ્લોર – ઓ.પી.ડી. ડીપાર્ટમેન્ટ, 4-નંગ ઓપરેશન થીએટર, ઈન્ટેન્સીવ કેર, સર્જીકલ વોર્ડ (મેલ એન્ડ ફિમેલ-૩૬ બેડ), બ્લડ બેંક એન્ડ લેબોરેટરી.
બીજો ફલોર – એ઼ડમીન ડીપાર્ટમેન્ટ, મેડીકલ વોર્ડ (મેલ એન્ડ ફિમેલ), ઓબ્સ્ટેટ્રીક વોર્ડ-18 બેડ, પીડીયાટ્રીક વીથ એન.આર.સી. 18 બેડ, ગાયનેકોલોજીસ્ટ વોર્ડ 10 બેડ, ડાયાલીસીસ વોર્ડ.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બનનારી 50 બેડની આ આયુર્વેદિક હોસ્પિટલથી લોકોને તેમના દર્દના ઈલાજ આયુર્વેદિક પદ્ધતિથી કરવાનો માર્ગ મળી રહેશે. આજના જમાનામાં આયુર્વેદ ખૂબ જ પ્રચલિત બની રહ્યું છે, એવામાં આ હોસ્પિટલ જીલ્લાની જનતા માટે ખૂબ જ અસરકારક નીવડશે. આ હોસ્પિટલમાં ઓપીડી, યોગ , પંચકર્મ સહિતની સુવિધાઓ મળી રહેશે.
આયુર્વેદિક હોસ્પિટલ:-
જમીનની સ્થળ સ્થિતીઃ જીલ્લા સેવાસદન અને નવીન સિવિલ હોસ્પિટલની જગ્યાની બાજુમાં, મોડાસા
કુલ બાંધકામઃ કુલ 1888.00 ચો. મી.
ભોંયતળીયુ 1355.00 ચો.મી.
પ્રથમ માળ 533.00 ચો.મી.
નવિન આયુર્વેદ હોસ્પીટલમાં ઉપ્લબ્ધ સુવિધાઓઃ
ગ્રાઉંન્ડ ફ્લોર–ઓ.પી.ડી. ડીપાર્ટમેન્ટ 3-નંગ, વૈધ પંચકર્મ રૂમ, પંચકર્મ મેલ એન્ડ ફિમેલ રૂમ.
પ્રથમ ફ્લોર – 10 પથારીના 4 વોર્ડ, દવાબારી, તપાસરૂમ, નર્સિંગ રૂમ, યોગા રૂમ, સ્ટોર રૂમ, વહીવટી ઓફિસ, તથા સ્પેશિયલ રૂમ – 4 નંગ.