રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેને દાવો કર્યો છે કે, છેલ્લા 24 કલાકમાં યુક્રેનિયન સૈનિકો દ્વારા 1000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે.
દરમિયાન, કિવમાં પાણી અને વીજળી પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કિવમાં રશિયન હુમલા બાદ પાણી અને વીજળીનો સપ્લાય પ્રભાવિત થયો હતો.
રશિયા યુક્રેનિયન એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વ્યવસ્થિત રીતે હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનિયન દળો ખેરસન શહેર અને તેની આસપાસના વિસ્તારને ફરીથી કબજે કરવા માટે ભીષણ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. ખેરસન એ ચાર પ્રદેશોમાંનો એક છે કે જેને મોસ્કો કબજે કર્યાનો દાવો કરે છે પરંતુ તે સંપૂર્ણ નિયંત્રણ કરતું નથી. ખેરસન ઉપરાંત, ઝાપોરિઝ્ઝ્યા, ડનિટ્સ્ક અને લુગાન્સ્કનો દાવો કરવામાં આવ્યો છે.