રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં રવિ સિઝન માટે સિંચાઈનું પાણી છોડાઈ રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લાના ધારીના ખોડીયાર ડેમમાંથી સિંચાઈ માટે 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ધારીના ખોડીયાર ડેમનો એક દરવાજો 5 ઇંચ ખોલવામાં આવ્યો છે, જ્યાંથી 21 કિ.મી. ની શેત્રુજી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
ધારીના ખોડીયાર ડેમમાંથી 200 ક્યુસેક સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા આપસાસના કેટલાય ગામડાઓને ફાયદો થશે. ખોડીયાર ડેમમાંથી સિંચાઈનું પાણી છોડાતા મેડી ગામ સુધી પિયતનું પાણી મળશે. આ સાથે જ ધારીના આંબરડી, પદરગઢ, હલરીયા, સરભંડા અને મેડી ગામના ખેડૂતોને પણ લાભ થશે. સિંચાઈનું પાણી છોડવામાં આવતા નદી કિનારાના વિસ્તારોને સૂચના આપવામાં આવી છે.