31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

OYOના સ્થાપક રિતેશ અગ્રવાલના પિતાનું મોત, હાઈરાઈઝ બિલ્ડીંગ પરથી નીચે પડ્યા


ગુરુગ્રામ: OYOના સ્થાપક રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલનું શુક્રવારે નિધન થયું. હરિયાણા પોલીસના જણાવ્યા અનુસાર રમેશ અગ્રવાલનું મૃત્યુ બહુમાળી ઇમારત પરથી પડી જવાથી થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરક્ષિત રાખવામાં આવ્યો છે. પરિવારજનોની પૂછપરછ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે રમેશ અગ્રવાલ 20મા માળેથી પડી ગયા છે. ગુરુગ્રામ પોલીસ ઘટનાસ્થળે ઘેરાબંધી કરીને મામલાની તપાસ કરી રહી છે.

ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે
પોલીસના જણાવ્યા અનુસાર, રમેશ અગ્રવાલનું ખૂબ ઊંચાઈ પરથી પડી જવાને કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં રિતેશ અગ્રવાલે લગ્ન કર્યા છે. તેણે પીએમ મોદીને પોતાના લગ્નનું કાર્ડ પણ આપ્યું હતું. રિતેશ અગ્રવાલે ફોર્મેશન વેન્ચર્સના ડિરેક્ટર ગીતાંશા સૂદ સાથે લગ્ન કર્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!