મોડાસા શહેરમાં માઝુમ નદીના કિનારે આવેલ અંતિમધામની જાળવણી મોડાસા મહાજન મંડળ દ્વારા કરવામાં આવે છે અંતિમધામનું લોકફાળાથી નવીનીકરણ ચાલી રહ્યું છે અંતિમધામના સ્ટાફ ક્વાટર્સ માટે મહાજન મંડળે દાતાઓ સામે ટંકાર કરતા મોડાસા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા 5.51 લાખ રૂપિયા દાનની જાહેરાત કર્યુ હતું
મોડાસા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ અનેક સેવાકીય કાર્યોમાં ઉદાર હાથે દાન આપે છે મોડાસા મહાજન મંડળ મોડાસા ના પ્રમુખ જયેશભાઇ દોશી કે અંતિમ ધામ ના નવીનીકરણ માટે દાતાઓને આ પુણ્યનાં કામમાં સહકાર આપવા નમ્ર અપીલ કરતાં મોડાસા તાલુકા નિવૃત કર્મચારી મંડળ ના પ્રમુખ શંકરભાઇ.જે.પટેલ, મહામંત્રી વિઠ્ઠલભાઈ પરમાર, મંત્રી ડાહ્યાભાઈ પટેલ, સહમંત્રી દિનેશભાઇ શર્મા,ચંદ્રકાન્તભાઈ સુથાર, છબીલભાઈ પટેલ, અરવિંદભાઈ ગોસ્વામી, ઉપ્રમુખ કાંતિભાઈ સોની ,લાલાભાઇ વણકર અને તેમના મંડળ દ્વારા અંતિમધામના સ્ટાફ ક્વાટર્સ માટે રૂપિયા 5,51,000/- નું દાન આપવાની જાહેરાત કરી ટોકન રકમનો ચેક મંડળના પ્રમુખ જયેશ દોશી ને અર્પણ કર્યો હતો