33 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લી : મોડાસા નિવૃત્ત કર્મચારી મંડળે 5.51 લાખ રૂપિયા અંતિમધામ સ્ટાફ ક્વાટર્સ માટે દાનની સરવણી વહાવી


મોડાસા શહેરમાં માઝુમ નદીના કિનારે આવેલ અંતિમધામની જાળવણી મોડાસા મહાજન મંડળ દ્વારા કરવામાં આવે છે અંતિમધામનું લોકફાળાથી નવીનીકરણ ચાલી રહ્યું છે અંતિમધામના સ્ટાફ ક્વાટર્સ માટે મહાજન મંડળે દાતાઓ સામે ટંકાર કરતા મોડાસા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા 5.51 લાખ રૂપિયા દાનની જાહેરાત કર્યુ હતું

Advertisement

મોડાસા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ અનેક સેવાકીય કાર્યોમાં ઉદાર હાથે દાન આપે છે મોડાસા મહાજન મંડળ મોડાસા ના પ્રમુખ જયેશભાઇ દોશી કે અંતિમ ધામ ના નવીનીકરણ માટે દાતાઓને આ પુણ્યનાં કામમાં સહકાર આપવા નમ્ર અપીલ કરતાં મોડાસા તાલુકા નિવૃત કર્મચારી મંડળ ના પ્રમુખ શંકરભાઇ.જે.પટેલ, મહામંત્રી વિઠ્ઠલભાઈ પરમાર, મંત્રી ડાહ્યાભાઈ પટેલ, સહમંત્રી દિનેશભાઇ શર્મા,ચંદ્રકાન્તભાઈ સુથાર, છબીલભાઈ પટેલ, અરવિંદભાઈ ગોસ્વામી, ઉપ્રમુખ કાંતિભાઈ સોની ,લાલાભાઇ વણકર અને તેમના મંડળ દ્વારા અંતિમધામના સ્ટાફ ક્વાટર્સ માટે રૂપિયા 5,51,000/- નું દાન આપવાની જાહેરાત કરી ટોકન રકમનો ચેક મંડળના પ્રમુખ જયેશ દોશી ને અર્પણ કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!