31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અદાણી મુદ્દે મૌન કેમ? કોંગ્રેસે PM મોદીને પૂછ્યો 100મો સવાલ


કોંગ્રેસે કહ્યું કે એક મહિનામાં પાર્ટીએ અદાણી મુદ્દે પીએમ મોદીને 100 પ્રશ્નો પૂછ્યા. PMએ આનો જવાબ આપવો જોઈએ કે PMએ આ મામલે મૌન કેમ સેવ્યું છે. આ સંદર્ભે કોંગ્રેસે બુધવારે પણ ત્રણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

કોંગ્રેસ પાર્ટીએ બુધવારે અદાણી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 100મો પ્રશ્ન પૂછ્યો. જયરામ રમેશે કહ્યું કે અદાણીને લઈને સરકારની નીતિ અને ઈરાદો સારો નથી. કોંગ્રેસ અદાણી કેસમાં જેપીસી તપાસને લઈને છેલ્લા એક મહિનાથી પીએમ મોદી અને ભાજપ પર સતત નિશાન સાધી રહ્યું છે.કોંગ્રેસે કહ્યું કે એક મહિનામાં પાર્ટીએ અદાણી મુદ્દે પીએમ મોદીને 100 પ્રશ્નો પૂછ્યા. PMએ આનો જવાબ આપવો જોઈએ કે PMએ આ મામલે મૌન કેમ સેવ્યું છે. આ સંદર્ભે કોંગ્રેસે બુધવારે પણ ત્રણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

‘જેપીસીમાં શાસક પક્ષ બહુમતીમાં રહે છે’
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે સુપ્રીમ કોર્ટ કમિટી અને જેપીસી વચ્ચે મૂળભૂત તફાવત એ છે કે વિપક્ષ જે પ્રશ્નો પૂછી રહ્યા છે. માત્ર જેપીસીની તપાસમાં જ આ સાબિત થઈ શકે છે. જેપીસીમાં શાસક પક્ષ બહુમતીમાં રહે છે અને અધ્યક્ષ પણ તેમનો જ રહે છે, છતાં વિરોધ પક્ષને એક તક મળી શકે છે.

તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટની કમિટી સરકારને ક્લીન ચિટ કમિટી સાબિત થશે. તે સરકારને યોગ્ય પ્રશ્નો પૂછશે નહીં. અદાણી વિશે સરકારની નીતિ અને ઇરાદા યોગ્ય નથી, તેથી પ્રશ્નનો જવાબ આપવા માંગતા નથી. અમે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને આ પ્રશ્ન નથી પૂછી રહ્યા. અમે આ પ્રશ્નો દેશના વડાપ્રધાનને પૂછી રહ્યા છીએ, જેમણે ગૃહમાં તેનો જવાબ આપવો જોઈએ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!