અરવલ્લી જિલ્લામાં માવઠાએ ખેડૂતોને કુદરતી લપડાક આપી છે તો બીજી બાજુ આવક ઓછી થતાં માર્કેટ યાર્ડમાં ભાવમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે તો મોડાસા માર્કેટ યાર્ડમાં જે ખેડૂતો તેમના ઘઉં લઇને આવી રહ્યા છે તેમને સારો ભાવ મળી રહ્યો છે. મોડાસા માર્કેટ માં ભાવમાં ઐતિહાસિક ઉછાળો નોંધાયો છે અને ભાવ 858 રૂપિયા પ્રતિમણ પર પહોંચ્યા છે.
મોડાસા માર્કેટ યાર્ડના સેક્રેટરીનું કહેવું છે કે, માવઠાને કારણે ઘઉંના ભાવમાં ધરખમ ઉછાળો નોંધાયો છે, જેમાં પલડેલા માલનો ભાવ 400 થી 430 રૂપિયા પ્રતિમણ, જ્યારે મીડિયમ ઘઉંનો ભાવ 430 થી 480 અને સારી ક્વોલિટી ટુકડી ઘઉંનો ભાવ 800 થ 858 રૂપિયા પ્રતિમણ સુધી પહોંચી ગયા છે, જેને લઇને ખેડૂતોમાં પણ ક્યાંક ખુશી જોવા મળી હતી.
સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો
અમારી વેબસાઈટ : http://www.meragujarat.in
મેરા ગુજરાત પ્લેટફોર્મ પર જાહેરાત આપવા સંપર્ક કરો :- 73836 31531
એક તરફ જે ખેડૂતોના ઘઉં પલડ્યા નથી, તેમને માર્કેટ યાર્ડમાં સારો ભાવ મળી રહ્યો છે તો બીજી બાજુ જે ખેડૂતોના ઘઉં માવઠામાં સ્વાહા થયા છે તેઓ સરકાર પાસે વળતરની માંગ કરી ને રાહ જોઈને બેઠા છે. મોટા ભાગના ખેડૂતોને માવઠાને કારણે અરવલ્લી જિલ્લામાં ઘઉંના પાકને નુકસાન થયું છે ત્યારે ક્યારે તેમને વળતર ચુકવાય છે તે જોવું રહ્યું પણ હાલ તો માર્કેટમાં ખુલ્લા બજારની હરાજીમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે.