મોડાસાના વણીયાદ છાપરાં પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.
SMC અધ્યક્ષશ્રી ઉદેસિંહ પરમાર, ભીમસિંહ ચૌહાણ, રમીલાબેન ખાંટ, અનસુયાબેન ચૌહાણ, શાળાના આચાર્ય અતુલભાઈ પટેલ તથા સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહીને વિદાય લઈ રહેલા વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત મહેમાનોએ વિધાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે વિદાય લઈ રહેલા વિધાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો આપ્યા હતા અને શાળાને મહાપુરુષોના 5 ફોટા ભેટ આપી હતી.
આજના પ્રસંગે શિક્ષકશ્રી રાજીવભાઈ ખરાડી તરફથી તિથી ભોજન આપવામાં આવ્યું હતું.
