અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે વધુ એકવાર પોલીસકર્મીઓનો બદલીનો ગંજીપો ચીપ્યો છે જીલ્લાના જુદાજુદા 11 પોલીસ સ્ટેશન, એલસીબી, એસઓજી,નેત્રમ અને હેડક્વાટરમાં ફરજ બજાવતા 152 પોલીસકર્મીઓની સાગમેટે બદલી કરતાં જ પોલીસબેડામાં સન્નાટો વ્યાપ્યો છે. જયારે એકાએક કરાયેલી બદલીઓ પોલીસની કાર્યદક્ષતા સુધારવા કરાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે સાગમેટે 152 પોલીસકર્મીઓની બદલીઓ થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે
અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 152 પોલીસકર્મીનો બદલી કરવામાં આવી છે એક સાથે 152 પોલીસકર્મીઓની બદલીના પગલે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે જીલ્લા પોલીસવડાએ 105 પોલીસકર્મીઓની બદલી જાહેરહિતમાં અને 47 પોલીસકર્મીઓની બદલી પદર ખર્ચે કરી છે
અરવલ્લી પોલીસ અને તેમની કામગીરી કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચા સ્થાને રહે છે
