ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી પ્રમુખ ઈસુદાન ગઢવી પર થયેલ પોલિસ ફરિયાદ રદ્દ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇસુદાન ગઢવીએ પી.એમ નરેન્દ્ર મોદી ની મનકી બાત ના 100માં એપીસોડ પછી કરેલ ટ્વીટ ને આધાર બનાવી ઇસુદાન ગઢવી સામે અલગ અલગ કલમો લગાવી એફ.આઈ.આર કરવામાં આવી છે, જેને લઇને આમ આદમી પાર્ટીના આગેવાનો નારાજ છે અને વિરોધ કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટી નું કહેવું છે કે, નાગરિકોના વાણી અને સ્વાતતંત્ર્ય ને રોકવા માટે ખોટી રીતે દાખલ કરતી એફ.આઈ.આર. કરવામાં આવી છે, તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં હમણાં હમણાં સાચા ગુનાઓમાં ભોગ બનનારની ફરિયાદ લેવામાં પોલીસ ટાળમટાળી કરે છે અને બંધારણે બક્ષેલા, નાગરિકોના વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિના અધિકારો ઉપર તરાપ મારતી ફરિયાદો તાત્કાલિક નોંધે છે.
આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ઉપર ટ્વીટને આધાર બનાવી સાઇબર ક્રાઇમમાં દાખલ કરવામાં આવેલી કરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે અને પોલીસને અધિકારીક સૂચના આપવામાં આવે કે નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરે અને ખરેખર ગુનાહિત કૃત્યો થયા હોય એવા બનાવોમાં કોઈ પણ ચમરબંધી હોય તો પણ પરવા કર્યા વગર જવાબદારો સામે ગુના દાખલ કરી કાર્યવાહી કરવાની હિમ્મત દાખવે.
આમ આદમી પાર્ટીના આગેવાનોએ અરવલ્લી જિલ્લા ના કલેકટર દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી ને આવેદનપત્ર દ્વારા રજૂઆત કરી હતી, જેમાં આમ આદમી પાર્ટી ના પ્રદેશના સહ મંત્રી જયદિપસિહ ચૌહાણ, જીલ્લા માયનોરેટી પ્રમુખ ઉસ્માનલાલા, મહીલા મોરચા ના લક્ષ્મીબેન પંડ્યા, આશિષ ઝાલા ગરીશ ઢુસા, પટેલ વિજય, આઇ.એમ પંડ્યા, વિજયભાઈ તથા આપ ના કાર્યકર્તાઓ જોડાયા હતા.