બાયડના તેનપુરમાં સી .આર. પટેલ વિદ્યાલય ખાતે ઓર્થોપેડિક સેન્ટ્રા હોસ્પિટલ ચાંદખેડા દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો
Advertisement
હોસ્પિટલના ડોક્ટર જેનીશ પટેલ (એમ.એસ. ઓર્થોપેડિસ) તેમજ ડોક્ટર પ્રગ્નેશ પટેલ જેઓ અમદાવાદના આજુબાજુના તાલુકા જિલ્લા અને ગામડાઓમાં સેવાકીય ભાવનાથી ઓથોપેડિકસને લગતા રોગોનો નિદાન કેમ્પ યોજી રહ્યા છે ત્યારે બાયડના તેનપુરમાં આવો જ ફ્રી નિદાન કેમ્પ યોજાયો જેનો 110 દર્દીઓએ લાભ લીધો કેમ્પમાં આવેલ જરૂરિયાત મંદને ઘૂંટણ બદલવા (જોઈન્ટ્સ રિપ્લેસમેન્ટ) ને લગતા ઓપરેશન માં મા કાર્ડ અથવા આયુષ્માન કાર્ડ અંતર્ગત તદ્દન ફ્રી ઓપરેશન કરી આપે છે આમ ડોક્ટર જેનીશ પટેલ અને ડોક્ટર પ્રજ્ઞેશ પટેલ બંને દ્વારા તેનપુર ખાતે કેમ્પ યોજાયો હતો આ કેમ્પનું સફળ સંચાલન કેળવણી મંડળના પ્રમુખ શંકરભાઈ પટેલ, મંત્રી શ્રી બાબુભાઈ પટેલ, આચાર્ય શ્રી મહેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, યુવા કાર્યકર જયંતીભાઈ પટેલ અને ગ્રામજનો એ કર્યું વધુમાં તેનપુર ગામના આગેવાનો અવારનવાર બ્લડ ડોનેશન, આંખોના કેમ્પ, ઓર્થોપેડીકસ કેમ્પ તેમજ અન્ય કેમ્પો સેવા હેતુથી યોજી રહ્યા છે અને જનતાને લાભ અપાવી રહ્યા છે