પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કલાકાર આયુષ કુંડલ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે આયુષ કુંડલને મળવું તેના માટે અવિસ્મરણીય ક્ષણ છે. તેમણે લોકોને દિવ્યાંગ કલાકારના ચિત્રો જોવા માટે પણ વિનંતી કરી છે.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “આજે @aayush_kundal ને મળવું એ મારા માટે એક અવિસ્મરણીય ક્ષણ બની. આયુષે જે રીતે પેઇન્ટિંગમાં નિપુણતા મેળવી અને તેના અંગૂઠા વડે તેની લાગણીઓને આકાર આપ્યો તે દરેક માટે પ્રેરણારૂપ છે. અવિરત પ્રેરણા મળતી રહે, તેથી હું તેને Twitter પર ફોલો કરી રહ્યો છું.”
“હું તમને બધાને @aayush_kundalની પેઈન્ટિંગ જોવાની વિનંતી કરું છું. આયુષે તેની પેઇન્ટિંગ માટે એક YouTube ચેનલ પણ બનાવી છે, જેમાં તેના જીવનના વિવિધ રંગો છે. તેની ચેનલની લિંક છે”
