ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો ભવ્યાતિ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ 25 માર્ચના રોજ લખનૌમાં એકના સ્ટેડિયમમાં સાંજે 4 વાગ્યે યોજવામાં આવનાર છે ત્યારે શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત 25 કેન્દ્રીય મંત્રીઓ, બીજેપી શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. આવો ભવ્ય સમારોહ ક્યારેક યોજાયો હશે ઉત્તરપ્રદેશની અંદર.
આ ઉપરાંત લખનૌના તમામ રસ્તાઓ અને ચોકડીઓ કેસરી રંગમાં રંગાયેલા જોવા મળે છે. શપથ ગ્રહણ સંબંધિત મોટા હોર્ડિંગ્સ, બેનરો અને ધ્વજ વિવિધ સ્થળોએ લગાવવામાં આવ્યા છે. શહેરના 130 ચોક અને મુખ્ય માર્ગો પર લાઈટીંગ કરવામાં આવી રહ્યું છે.