મોડાસા સબજેલ ખાતે પોલીસ મહાનિર્દેશક અને જેલ સુધારાત્મક વહીવટી કચેરી અમદાવાદ અને સંગીત કલા એકેડમી ગાંધીનગરના ઉપક્રમે અઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત લોક ડાયરો યોજાયો હતા. આ ડયરામાં કલાકારો એ શોર્ય,દેશ ભક્તિ અને વેશન મુક્તિ જેવા ગીતો ગાઈને કાચા કામના કેદી ઓ એને જેલ પરિવારની હાજરીમાં લોક ડાયરો યોજાયો હતો.

મોડાસા સબજેલમાં સમયાંતરે વિવિધ કાર્યક્રમો યોજાતા હાય છે, જેથી કેદીબંદીઓને અલગ અલગ કાર્યક્રમોથી જાણકારી મળી રહે, તે હેતુથી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સાથે જ રક્ષાબંધન, રાષ્ટ્રીય પર્વ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો સબજેલ ખાતે યોજાતા હોય છે, આ માટે જેલ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવે છે, જેથી ચાર કોટડી વચ્ચે રહેતા કેદીબંદીઓને અનુકૂળ વાતાવર મળી રહે.





