21.2 C
Ahmedabad
Sunday, February 9, 2025

અરવલ્લીઃબાયડ તાલુકાના દખણેશ્વર ગામે ઘર ઉપર ચઢેલા 25 વર્ષીય યુવાનને વિજકરંટ લાગતાં મોત


વિજતંત્રની ઘોર બેદરકારી આવી સામેઃઘર ઉપરથી પસાર થતી વિજલાઈન સરખી કરવા વારંવાર રજુઆત કરવામાં આવી હોવાનું ગામલોકોએ જણાવ્યું

Advertisement

બાયડ તાલુકાના દખણેશ્વર ગામે રહેતા 25 વર્ષીય યુવાન ઘર ઉપરથી પસાર થતા વિજતારને અડકી જતાં મોત નિપજ્યાનો મામલો સામે આવ્યો છે

Advertisement

દખણેશ્વર ગામે રહેતા રાવળ દિપકભાઇ કાળાભાઈ કોઈ કામ માટે ઘર પર ચડ્યા હતા તે સમયે ઘર ઉપરથી જ પસાર થતા વિજતારને અડકી જતાં વિજતારને ચોંટી જઈ મોતને ભેટયા હતા.
ઘરના મોભ સમાન આશાસ્પદ યુવાનનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો હતો
દખણેશ્વર ગામના લોકોનો વિજતંત્ર સામે આક્રોશ ભભુકી ઉઠયો હતો. ગામલોકોએ જણાવ્યું હતું કે વારંવાર રજુઆતો કરવા છતાં પણ બાયડના વિજતંત્ર તરફથી યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.
ઘટનાની જાણ થતાં બાયડ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!