33.5 C
Gujarat
Wednesday, August 26, 2026
Home HeadLines કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના 20 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા, તમામ મુસાફરો સુરક્ષિત

કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના 20 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા, તમામ મુસાફરો સુરક્ષિત

0

કાનપુરમાં વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ (19168) કાનપુરના ગોવિંદપુરી પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવેના જણાવ્યા અનુસાર ટ્રેનના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી. રેલવે, પોલીસ અને ફાયર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. નોર્થ સેન્ટ્રલ રેલવેના જણાવ્યા અનુસાર, બોલ્ડર સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતને કારણે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. જયારે બીજી તરફ કાનપુરથી મધ્યપ્રદેશના બુંદેલખંડ જતી ટ્રેનો રદ કરવામાં આવી હતી. તો કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!