31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : યાત્રાધામ શામળાજી માં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ની તૈયારીઓ કરવામાં આવી


શામળાજી નાં યુવાનો દ્વારા આખા ગામમાં આસોપાલવના તોરણ તથા 101 મટકી ઓ બાંધવામાં આવે છે બેન્ડ સુરાવલીઓ વચ્ચે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે મંદિર પરિસરમાં લાઈટીગ થી સુશોભિત કરવામાં આવ્યું છે મંદિર નાં શિખર થી નીચે સુધી થીડી લાઈટીગ સિસ્ટમ થી શામળીયા ભગવાન કૃષ્ણ ભગવાન શંકર ભગવાન ની પ્રતિમા નાં દશૅન થાય છે મંદિર નાં ગભૅગૃહ દર વર્ષે અમદાવાદના નાં માળી પરિવાર ધ્વારા ગુલાબ મોગરો જેવાં જુદાં જુદાં સુગંધી પુષ્પો ધ્વારા ગભૅગૃહ સુશોભિત કરવામાં આવે છે મંદિર નાં બધાં દરવાજા આગળ કેળાની કબાનો તથા આસોપાલવ નાં તોરણો મંદિર નાં પરિસરમાં તથા ચોક માં બાંધવામાં આવે છે.

શામળાજી નાં નવયુવાનો ધ્વારા આખા ગામમાં આસોપાલવના તોરણ તથા 101 મટકી ઓ ઉપર ક્ષીફળ તથા અંદર દહીં અબીલ ગુલાલ ભરવામાં આવે છે જન્માષ્ટમી નાં દિવસે સવારે દસ વાગ્યે બેન્ક ની સુરાવલીઓ વચ્ચે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે તેમાં વિશાળ માનવ મહેરામણ ઊમટી પડે છે મંદિર ટ્રસ્ટ દ્વારા રાત્રિના સમયે મંદિર પરિસરમાં ભજન સંધ્યા નો પ્રોગ્રામ રાખેલ છે મંદિર ટ્રસ્ટ તથા શામળાજી નાં ગ્રામજનો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ની તૈયારી માં લાગી ગયા છે યુવાનો દ્વારા તોરણ તથા મટકી ઓ લાવીને તોયારીઓ માં લાગી ગયા છે ભગવાન નો જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા માટે તન મન ધનથી કૃષ્ણ ભક્તિ મય બની ગયાં છે યુવાનો જય રણછોડ માખણચોર નાં નારા લગાવી ઉત્સાહ જોવા મળી રહ્યો છે જન્માષ્ટમી નાં તહેવાર સમયે કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!