આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી સપૂર્ણ પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મંત્રીએ મૃતદેહો જ્યાં રાખવામાં આવ્યા છે તે કોલ્ડ સ્ટોરેજ રૂમની પણ મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. દરમિયાન, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં DNA મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ ડીએનએ નમૂનાઓના આધારે અત્યાર સુધીમાં નવ પીડિતોની ઓળખ કરી છે. નાયબ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ રજનીશ પટેલે જણાવ્યું કે 8 ઇજાગ્રસ્ત હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.






