અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોમાંથી શનિવાર સાંજ સુધીમાં કુલ 11 મૃતકોના DNA સેમ્પલ મેચ કરી લેવાયા છે. જેમાંથી એક પાર્થિવ દેહની ઓળખ કરીને તેને પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત, બચાવ અને ઓળખની કામગીરી અંગે માહિતી આપવા માટે રાહત કમિશનર આલોક પાંડે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ રજનીશ પટેલે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના 18 જિલ્લાના તમામ મૃતકોના પરિવારજનોનો રાજ્ય સરકાર દ્વારા સંપર્ક કરી લેવામાં આવ્યો છે.
