અમરનાથ યાત્રાના પહેલા છ દિવસમાંઅમરનાથજી ગુફામાં અત્યાર સુધી એક લાખ ૧૧ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. ગઈકાલે૧૮ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
અમરનાથ યાત્રાના પહેલા છ દિવસમાં અમરનાથજી ગુફામાં અત્યાર સુધી એક લાખ ૧૧ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. ગઈકાલે ૧૮ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિન્હાએ જણાવ્યું હતું કે પહેલગામ અને બાલતાલ બંને રૂટ પર યાત્રા સરળતાથી ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા છે. આ દરમિયાન, કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ 7 હજાર 579 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ આજે વહેલી સવારે ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી કાશ્મીર ખીણથી રવાના થયો હતો.
