શ્રી એન.એસ.પટેલ લો કોલેજ મોડાસા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અરવલ્લી ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ‘પોકસો એક્ટ અને કાનૂની સહાય’ એ વિષય પર એક વ્યાખ્યાનમાળા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં સિનિયર સિવિલ જજ અને સેક્રેટરી, ડી.એલ. એસ.એ શ્રી એમ જે ખોઝ્ઝાદા સાહેબ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા. આચાર્ય ડો. રાજેશ વ્યાસ દ્વારા તેમનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ ડો. અશોક એમ.શ્રોફ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડો. સોનિયા જોશી એ કરી હતી. આ કાર્યક્રમમાં ડો. અલ્પાબેન ભટ્ટી અને ડૉ અનિલ ખોખર તથા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
