જેહાદી કટ્ટરતા અને હિંસાના વિરુદ્ધમાં કડકમાં કડક સજા કરવાની બજરંગ દળની માંગ
Advertisement
અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના બજરંગદળ, દુર્ગાવાહિની, ધર્મ પ્રસાર દ્વારા દેશમાં જેહાદીઓ દ્વારા મસ્જિદમાં નમાજ પડ્યા બાદ કરવામાં આવેલા પથ્થરમારાના વિરોધમાં રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કટ્ટર પંથીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી વિશ્વ હિન્દુ પરિષદના યુવા બજરંગ દળ દ્વારા કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નુપુર શર્મા દ્વારા પયગંબર વિશે કરવામાં આવેલી ટિપ્પણી બાદ ભારતમાં જેહાદીઓ દ્વારા ગત શુક્રવારે નમાજ બાદ કરવામાં આવેલી હિંસા અને પથ્થર મારામાં અનેક નિર્દોષ લોકો ભોગ બન્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના બજરંગદળ, દુર્ગાવાહિની, ધર્મ પ્રસાર દ્વારા દેશમાં જેહાદીઓ દ્વારા મસ્જિદમાં નમાજ પડ્યા બાદ કરવામાં આવેલા પથ્થરમારાના વિરોધમાં રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કટ્ટર પંથીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી વિશ્વ હિન્દુ પરિષદના યુવા બજરંગ દળ દ્વારા કરવામાં આવી છે. મસ્જિદમાં તૈયાર થયેલા કટ્ટરપંથીઓ હિન્દુઓના ઘર સળગાવી રહ્યા છે તેમજ હિંસક હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા કટ્ટરપંથીઓ ની ધરપકડ કરી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.