લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરનું વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર રવિવારે સીએમ યોગીના હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાયા બાદ તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વારાણસીના રિઝર્વ પોલીસ લાઈન્સ મેદાનથી હેલિકોપ્ટર લખનૌ જવા રવાના થયું ત્યારે આ ઘટના બની હતી.
પ્રારંભિક ઇનપુટ્સ સૂચવે છે કે મુખ્યમંત્રી સર્કિટ હાઉસ પરત ફર્યા હતા. હવે તેઓ સરકારી વિમાન દ્વારા લખનઉ જવા માટે રવાના થશે.
