ભિલોડામાં ધાબડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.તા.૨૫ ડીસેમ્બર, ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલ બિહારી બાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે અટલજીનો જન્મ દિવસ “સુશાસન દિવસ” તરીકે ઉજવાય છે ત્યારે, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ભિલોડા તાલુકામાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ભારતીય જનતા પાર્ટી ભિલોડા મંડલના પ્રમુખ કાંતિભાઈ પટેલ યુવા મોરચાના પ્રમુખ જીગરભાઈ ત્રિવેદી , જિલ્લા ના હોદ્દેદારો જિલ્લા સદસ્ય , તાલુકા સદસ્ય તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભિલોડા તાલુકાના સંયોજક હિતેશકુમાર વણજારા , રવીન્દ્રભાઈ ઠાકોર , તેજશભાઈ તબિયાર હાજર રહયા હતા.