29.2 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત ઉત્તરાયણ પર્વ પર કરૂણા અભિયાનની ટીમ અરવલ્લી તૈયાર, જન જાગૃતિ ના કાર્યક્રમ

ઉત્તરાયણ પર્વ પર કરૂણા અભિયાનની ટીમ અરવલ્લી તૈયાર, જન જાગૃતિ ના કાર્યક્રમ

0
164

ઉત્તરાયણ ના પર્વને લઇને દોરીથી પશુ પક્ષીઓને બચાવવા માટે ટીમ કરૂણા તૈયાર છે. અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર કરૂણા અભિયાનની ટીમ દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.

કરુણા અભિયાન 2023 નિમિતે શ્રી એચ. એસ. શાહ કોલેજ ઓફ કોમર્સ મોડાસા કેમ્પસના પ્રાંગણમાં સ્વામી વિવેકાનંદજીના જન્મ દિવસની ઉજવણી તથા કરુણા અભિયાન 2023 ની જાગૃતતા લાવવા બાબતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વન વિભાગ, કરુણા એનિમલ હેલ્પલાઇન 1962, દયા ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણના પર્વ બાબતે ધ્યાનમાં જેવી બાબતો સરકાર દ્વારા ચાલતી ફ્રી હેલ્પ લાઈનો તથા તેનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો.

મોડાસાની શ્રી.એચ.એસ.શાહ કૉમર્સ કૉલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં જીવદયા પ્રેમીઓ, શાળાના પ્રાધ્યાપકો, કરૂણા અભિયાનની ટીમ, એનિમલ હેલ્પલાઇન ની ટીમ તેમજ કૉલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!