અરવલ્લી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા ધનસુરા તાલુકામાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ યજ્ઞનો લ્હાવો લીધો હતો. જિલ્લાના અલગ – અલગ વિસ્તારોમાં ગાયત્રી પરિવાર દ્વારા પર્યાવરણ બચાવવા માટે વિશેષ ઝૂંબેશ ઉપાડી છે, આ વચ્ચે ગ્રામજનો રોગમુક્ત રહે તે માટે વિશેષ યજ્ઞ કરવામાં આવતા હોય છે ત્યારે શિકા ગામે પણ મહાયજ્ઞ યોજાયો હતો.
Advertisement
શિકા ગામમાં નવચેતના જાગરણ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત આયોજિત કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ગાયત્રી ઉપાસકો જોડાયા હતા.
Advertisement
Advertisement