33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સરકરી કોન્ટ્રાકટરોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું : અરવલ્લી જીલ્લા અને સાબરકાંઠા જીલ્લા કલેકટરને...

સરકરી કોન્ટ્રાકટરોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું : અરવલ્લી જીલ્લા અને સાબરકાંઠા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી

0
233

ગુજરાત સરકારે 17 મહિના અગાઉ કોન્ટ્રાકટર એસોસિએશનની સરકારના તમામ વિભાગોમાં સ્ટાન્ડર્ડ બીડીંગ ડોક્યુમેન્ટ મુજબ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે,જીએસટી વગરના ટેન્ડર બહાર પાડવામાં આવે અને દરેક જીલ્લામાં નવા એસઓઆર બનાવવામાં આવેની માંગ સ્વીકાર કર્યા બાદ આજદિન સુધી અમલીકરણ કરવામાં ન આવતા કોન્ટ્રાકટરો સરકારી ટેન્ડર ભરવાથી દૂર રહ્યા હોવાની સાથે અરવલ્લી-સાબરકાંઠા કોન્ટ્રાકટર એસો.દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી

અરવલ્લી જીલ્લા કોન્ટ્રાકટરોએ કલેકટર પ્રશસ્તિ પારિકને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સરકારી કોન્ટ્રકટરોની વિવિધ માંગણીઓને ગુજરાત સરકાર દ્વારા માર્ચ-2020માં સ્વીકાર કરવામાં આવ્યો હતો અને તે અંગે 17 મહિના અગાઉ પરિપત્ર કરવામાં આવ્યો હતો તેમ છતાં અગમ્ય કારણોસર પરિપત્રની અમલવારી કરવામાં ન આવતા કોન્ટ્રાકરોએ ખુબ આર્થિક મુશ્કેલી ભોગવવી પડી રહી છે સરકારી કામના ટેન્ડર નહિ ભરવાનો કોન્ટ્રાકટર એસોસિએશને નિર્ણય લેવાની ફરજ પડી છે અને આ અંગે મુખ્યમંત્રીને બે વાર પત્ર લખી જાણ કરવામાં આવી છે તેમ છતાં અમારી મુખ્ય ત્રણ માંગણીઓની અમલવારી થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જરૂરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!