33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines રાજ્યના વાતાવરણમાં ફરીથી પલટો, સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ થતાં ખેલૈયાઓ થયા નારાજ

રાજ્યના વાતાવરણમાં ફરીથી પલટો, સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ થતાં ખેલૈયાઓ થયા નારાજ

0
86

રાજ્યમાં અનેક વિસ્તારોમાં અષાઢી માહોલ છવાયો છે. હવામાન વિભાગના મતે આજથી ત્રણ દિવસ વરસાદ પડવાની શક્યતા છે. અરેબિયન સમુદ્રમાં સિસ્ટમ ડેવલપ થઈ હોવાથી વરસાદની શક્યતા છે. આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર – કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આજે સુરત, તાપી , અને નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ત્રીજા દિવસે ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.

દક્ષિણ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નવરાત્રી સમયે વરસાદી માહોલ જામતા, કેટલીક જગ્યાએ નવરાત્રીના આયોજનમાં વિઘ્ન આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!