જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાયેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક બાદ કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપી છે કે પાકિસ્તાનને આપવામાં આવેલા વિઝા રદ કરવામાં આવ્યા છે અને અટારી સરહદ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે.
સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક નિર્ણય લીધો
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાની રાજદૂતને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારતમાં હાજર પાકિસ્તાની રાજદૂતને ટૂંક સમયમાં પાછા મોકલવામાં આવશે.
પાકિસ્તાનીઓને પાછા જવાનો આદેશ
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે સરકારે સિંધુ જળ સંધિ રદ્દ કરી છે. પાકિસ્તાનીઓને આપવામાં આવેલા વિઝા રદ્દ કરવામાં આવ્યા છે. ભારતમાં રહેલા પાકિસ્તાનીઓને પણ 48 કલાકની અંદર ભારત દેશ છોડવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે, વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ હેઠળ કામ કરી રહ્યા છીએ.
પાંચ મોટા નિર્ણયો
૧૯૬૦ ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવશે જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અફર રીતે સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે.
ચેકપોસ્ટ અટારી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે. જેમણે માન્ય વિઝા સાથે સરહદ પાર કરી છે તેઓ ૧ મે ૨૦૨૫ પહેલા તે માર્ગે પાછા આવી શકે છે.
સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ પાકિસ્તાની નાગરિકોને ભારત મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલ કોઈપણ SPES વિઝા રદ માનવામાં આવશે. હાલમાં SPES વિઝા હેઠળ ભારતમાં હાજર કોઈપણ પાકિસ્તાની નાગરિકને ભારત છોડવા માટે ૪૮ કલાકનો સમય છે.
નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઇ કમિશનમાં સંરક્ષણ, લશ્કરી, નૌકાદળ અને હવાઈ સલાહકારોને અનિચ્છનીય વ્યક્તિ જાહેર કરવામાં આવ્યા છે. તેમની પાસે ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય છે.ભારત ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશનમાંથી તેના સંરક્ષણ, નૌકાદળ સલાહકારો અને હવાઈ સલાહકારને પાછા બોલાવશે અને પાકિસ્તાને પણ આ પદો પરની બધી પોસ્ટિંગ રદ કરી દીધી છે.





