પહલગામ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ અસુરક્ષિત રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાશ્મીરી પંડિતો અને ખીણમાં કામ કરતા બિન-સ્થાનિક લોકો પર હુમલો કરવાની ‘સક્રિય યોજના’ બનાવી રહ્યા છે. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ઘાતક હુમલા પછી આ ઇનપુટ્સ મળ્યા છે. નોંધનીય છે કે આતંકવાદીઓએ પહેલગામમાં 26 પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરી હતી.





