28 C
Gujarat
Friday, August 21, 2026
Home Politics & Current Affairs CM ગેહલોતના ભાઈ પર CBIના દરોડા પર પાયલટ દ્વારા મોટું નિવેદન અપાયું

CM ગેહલોતના ભાઈ પર CBIના દરોડા પર પાયલટ દ્વારા મોટું નિવેદન અપાયું

0
216

રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ પાયલટે કહ્યું કે પીએમ મોદી સીએમ અશોક ગેહલોતના ભાઈ પર દરોડા પાડીને કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. લોકશાહીમાં વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.

રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે સીએમ અશોક ગેહલોતના ભાઈ પર સીબીઆઈના દરોડા પર મોટું નિવેદન આપ્યું છે. પાયલોટે કહ્યું કે પીએમ મોદી સીએમના ભાઈ પર દરોડા પાડીને કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. લોકશાહીમાં વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.

રાજધાની જયપુરમાં કોંગ્રેસના ધરણા પ્રદર્શન બાદ મીડિયા સાથે વાત કરતા પાયલોટે કહ્યું કે ભાજપ સરકારને સત્તાનો ઘમંડ થઈ ગયો છે. તેથી જ વિપક્ષના નેતાઓના સંબંધીઓ પર સીબીઆઈના દરોડા પાડવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે રાજસ્થાન કોંગ્રેસ સમિતિએ ED દ્વારા પાર્ટીના નેતા રાહુલ ગાંધીની વારંવાર પૂછપરછના વિરોધમાં તમામ જિલ્લા મુખ્યાલયો પર દેખાવો કર્યા હતા. પીએમ વિપક્ષના અવાજને દબાવવા માંગે છે. પરંતુ અમે લડીશું અને જીતીશું.

રાહુલ ગાંધીની આટલા કલાકો સુધી સતત પૂછપરછ કર્યા બાદ EDએ સોમવારે ફરીથી બોલાવ્યા છે. પાયલોટે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને અમારા નેતૃત્વ પાસે છુપાવવા માટે કંઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!